For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

અવધેશ રાય હત્યાકાંડ: બહુચર્ચિત કેસમાં 32 વર્ષ બાદ ન્યાય

11:26 AM Jun 06, 2023 IST | eagle
અવધેશ રાય હત્યાકાંડ  બહુચર્ચિત કેસમાં 32 વર્ષ બાદ ન્યાય

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં બહુચર્ચિત અવધેશ રાય હત્યાકાંડમાં 32 વર્ષ બાદ સોમવારે તે ક્ષણ આવી ગઇ, જેની સૌકોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા. સોમવારે વારાણસીની એમપી-એમએલએ કોર્ટમાં માફિયા મુખ્તાર અંસારી દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સજાનું એલાન કરવામાં આવ્યું. સોમવારે 12 વાગ્યાની આસપાસ પહેલા તો કોર્ટે માફિયા અંસારીને દોષિત જાહેર કર્યો અને પછી બપોરે 2 વાગે જજ અવનીષે દોષી અંસારીને આજીવન કેદની સજા સંભળાવી છે.અંસારીને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અંસારી કોર્ટમાં હાજર ન હતો અને સુનાવણી દરમિયાન તે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા જોડાયો હતો.

Advertisement