For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

દેશમાં દેવસેવાની સાથે દેશસેવા પણ થઈ રહી છે

11:21 PM Feb 24, 2024 IST | eagle
દેશમાં દેવસેવાની સાથે દેશસેવા પણ થઈ રહી છે

મહેસાણાના તરભમાં વાળીનાથ ભગવાનના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે મોદીની ગૅરન્ટીનું લક્ષ્ય સમાજના અંતિમ પાયદાન પર ઊભેલા દેશવાસીનું જીવન બદલવાનું છે એટલે એક તરફ દેશમાં દેવાલય પણ બને છે, તો બીજી તરફ કરોડો ગરીબોનાં પાકાં ઘર પણ બની રહ્યાં છે

અમદાવાદ : ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના તરભમાં વાળીનાથ ભગવાનના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દેશમાં દેવસેવા પણ થઈ રહી છે, દેશસેવા પણ થઈ રહી છે. મોદીની ગૅરન્ટીનું લક્ષ્ય સમાજના અંતિમ પાયદાન પર ઊભેલા દેશવાસીનું જીવન બદલવાનું છે એટલે એક તરફ દેશમાં દેવાલય પણ બને છે તો બીજી તરફ કરોડો ગરીબોનાં પાકાં ઘર પણ બની રહ્યાં છે.’

Advertisement