For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ આવશે વાતાવરણમાં પલટો

01:07 PM May 09, 2022 IST | eagle
રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ આવશે વાતાવરણમાં પલટો

રાજ્યમાં  ગરમીના  ઉતાર ચઢાવ વચ્ચે ફરીથી પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં બુધવાર સુધી ગરમી 44 ડિગ્રીને પાર થવાની છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ  જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી  પણ કરવામાં આવી છે. આમ અમદાવાદમાં આગામી ચાર દિવસમાં ગરમીનો વધુ એક રાઉન્ડ અનુભવાશે. આગામી દિવસોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. આ માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

Advertisement